Wednesday, 3 September 2014

લવ જેહાદ-કોમી ‘આતંકવાદ’નું નવું હથિયાર

મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમમાં પાડી, ભગાડી જઈ, લગ્ન કરી તેમનું ધર્મપરિવર્તન કરાવવાના કિસ્સા ઉત્તરપ્રદેશના સામાજિક જીવનના તાણાવાણા ખોરવી રહ્યા છે. ‘લવ જેહાદનામની આ ભૂતાવળ પર રાજકીય રોટલા શેકાવાની ગંધ પણ આવી રહી છે.


ગયા વર્ષે હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી દંગામાં રક્તરંજિત થયેલું ઉત્તરપ્રદેશનું મુઝફ્ફરપુર તાજેતરમાં ફરી એકવાર અખબારોની હેડલાઇન્સમાં શર્મસાર થયું છે. વ્યવસાયે શિક્ષિકા એવી એક ગરીબ હિન્દુ યુવતીએ પોલીસમાં એફ.આઇ.આર. લખાવી હતી કે કેટલાક મુસ્લિમ પુરુષોએ તેનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને પછી તેને ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ બનાવી દેવામાં આવી હતી. ૨૦ વર્ષીય આ યુવતી મેરઠ જિલ્લાના સરાવા નામના ગામમાં આવેલા એક મદ્રેસામાં પાર્ટ ટાઇમ શિક્ષિકા હતી. ૨૩ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેનું અપહરણ કરી તેને મુઝફ્ફરનગર લઈ જવામાં આવી. ત્યાંના મદ્રેસામાં તેને ત્રણ દિવસ કેદ રાખવામાં આવી, જે દરમિયાન તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. ધર્મપરિવર્તનને લગતા અમુક કાગળો પર જબરજસ્તી તેની સહી કરાવવામાં આવી અને પછી તેને ઘરે જવા દેવામાં આવી હતી. ૨૭ જુલાઈએ ઘરે પાછી આવેલી યુવતીને ૨૯ જુલાઈએ ફરીથી ઉઠાવી જવામાં આવી અને મેરઠ શહેરમાં આવેલા મદ્રેસામાં ગોંધી દેવામાં આવી. ત્યાં તે ફરીથી સામૂહિક બળાત્કારનો ભોગ બની. તેનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. પાસપોર્ટ અને દુબઈ માટેના વિઝા પર તેની સહીઓ કરાવવામાં આવી. ૩૦ જુલાઈએ તેને પાછી મુઝફ્ફરનગરના મદ્રેસામાં લઈ જવામાં આવી. બળાત્કારની ક્રૂરતાનો સિલસિલો ત્યાં પણ જારી રહ્યો. અહીંથી તેને સીધી દુબઈ મોકલી દેવાનો કારસો ઘડાયો હતો. ૩ ઓગસ્ટની વહેલી સવારે તક મળતા જ યુવતી મદ્રેસાના પાછલા દરવાજેથી છટકી ગઈ અને બસ પકડી પોતાના ઘરે પાછી ફરી.

યુવતીની ફરિયાદના પગલે પોલીસે સરાવા ગામના સરપંચ નવાબ ખાન, મદ્રેસાના મુખિયા સનાહુલ્લાહની પત્ની અને એક સાગરિત યુવતીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સનાહુલ્લાહ ભાગતો ફરે છે. સમગ્ર ઉત્તરપ્રદેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોમી તંગદિલી વધી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં મુસ્લિમોની વસતી બહુમતીમાં છે. હિન્દુ લોકોના કહેવા મુજબ અત્યંત ગરીબ ઘરના અભણ અને બેકાર મુસ્લિમ યુવકો પણ હિન્દુ છોકરીઓને લઈને ભાગી જાય છે, તેમની સાથે નિકાહ પઢી તેમનું ધર્મપરિવર્તન કરાવી દે છે. આ બધું કરવા માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે એ મોટો પ્રશ્ન છે. સ્વાભાવિક છે કે તેમની કોમના પૈસાપાત્ર માણસોનું પીઠબળ આવા યુવકોને મળે છે.

કહેવાય છે કે હિન્દુ યુવતીઓને ફસાવવાનું કામ સુવ્યવસ્થિતપણે અને એક ખાસ પેટર્નમાં ચાલે છે. મોટેભાગે ગરીબ ઘરની અને ઓછું ભણેલી યુવતીને ટાર્ગેટ કરવામાં આવે છે. યુવક, યુવતીના ઘરની આસપાસ બાઇક પર આંટા મારે છે અને બજારમાં કે સ્કૂલ જતી વખતે યુવતીનો રસ્તો આંતરી પરિચય વધારે છે. બીજી કે ત્રીજી જ મુલાકાતમાં યુવતીને મોલાઇલ ભેટ આપવામાં આવે છે જેથી બંને વચ્ચે સતત વાતચીતનો વ્યવહાર આસાનીથી જળવાઈ રહે. સુખી ભવિષ્યની આશામાં યુવતી ભોળવાઈ જાય છે અને યુવક સાથે ભાગી જવા તૈયાર થાય છે. પછી લગ્ન અને ધર્મપરિવર્તન. આ સ્ક્રિપ્ટ પર અનેક લવસ્ટોરીઓ ભજવાઈ ચૂકી છે. લવસ્ટોરીની સ્ક્રિપ્ટ પૈસાદાર મુસ્લિમ આગેવાનો દ્વારા લખવામાં આવે છે અને ફંડિંગ પણ તેમનું જ હોય છે, એવું હિન્દુ આગેવાનોનું દૃઢપણે માનવું છે. ઘણીવાર તો ભોળી યુવતીને છેક લગ્ન પછી ખબર પડે છે કે તે જેની પ્રેમજાળમાં ફસાઈ છે એ તો પરિણીત છે અને બચરવાળ પણ છે. જોકે છેતરાવાની લાગણી સાથે પણ તેણે બીજી પત્ની તરીકે નિભાવી લેવું પડે છે કેમ કે પછી તેનો હિન્દુ પરિવાર તેને સ્વીકારવા તૈયાર હોતો નથી. કેટલીય યુવતીઓને આરબ દેશોમાં વેચી દેવામાં આવે છે જ્યાં તેમણે ફક્ત એક જ કામ કરવાનું હોય છે- વેશ્યાવૃત્તિ. સરાવાની યુવતી પણ નર્કાગાર સમી કેદમાંથી ન છટકી શકી હોત તો દુબઈમાં તેની પાસે વેશ્યાવૃત્તિ જ કરાવાઈ હોત.

યુ.પી.માં છેડાયેલી આ લવ જેહાદેરાજકીય રંગ પકડ્યો છે. ચિંતિત હિન્દુ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી અને આર.એસ.એસ. પાસે આ મામલામાં દરમિયાનગીરી કરવા માટે ધા નાખી છે. મુસ્લિમ મતોના ધ્રુવીકરણમાં ઉસ્તાદ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આ મામલે મુસ્લિમોના પક્ષે હોવાનું ચિત્ર રચાયું છે. મુસ્લિમ આગેવાનોનું કહેવું છે કે લવ જેહાદ તદ્દન બોગસ વસ્તુ છે. કોમી તંગદિલી સર્જી તેની આગ પર પોતાના રોટલા શેકવા અમુક રાજકીય પાર્ટીઓએ જાણીબુઝીને લવ જેહાદને શસ્ત્ર બનાવ્યું છે. બાકી હિન્દુ-મુસ્લિમ લગ્નો યુ.પી.માં નવાઈની વાત નથી. આ પ્રકારના કિસ્સા શુદ્ધ પ્રેમના ઉદાહરણો છે જેને રાજકીય વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. જોકે એવું કહેતા આગેવાનોને પૂછવાનું કે, તો પછી એવું કેમ બને છે કે ૯૦ ટકા કિસ્સામાં યુવતી જ હિન્દુ હોય? આ લેખ વાંચનાર માટે પણ પ્રશ્ન છે કે, હિન્દુ યુવાનો મુસ્લિમ યુવતીને ભગાડી ગયા હોય એવા કેટલા કિસ્સા વિશે તમે જાણો છો?
છેલ્લા દાયકામાં લવ જેહાદ નામના નાગે કેરળ અને કર્ણાટકમાં પણ માથું ઊંચક્યું છે. તે એટલી હદે કે ૨૦૦૯માં ખુદ કેરળ હાઇકોર્ટે કેરળ સરકારને ટકોર કરવી પડી હતી કે પ્રેમના અંચળા હેઠળ ધર્મપરિવર્તનના કિસ્સા સતત વધી રહ્યા હોઈ તેની વિરુદ્ધ વિશેષ કાયદો ઘડવામાં આવે. કદાચ માનવામાં નહીં આવે પણ એકલા કેરળમાં જ અત્યાર સુધીમાં લવ જેહાદના ૪થી ૫ પજાર કિસ્સા બહાર આવ્યા છે! કર્ણાટકમાં પણ એવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. બંને રાજ્યોમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લવ જેહાદમાં સપડાયેલી પ્રેમાંધ યુવતીઓ ધર્મપરિવર્તનનો ભોગ બને એ પહેલાં તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવી પડી છે.

યુ.પી.ના અમુક જિલ્લાઓમાં તો લવ જેહાદે એટલો હાઉ ઊભો કર્યો છે કે, હિન્દુ વિસ્તારો ફરતે વાડાબંધી કરી દેવામાં આવી છે જેથી મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓના ઘરની આસપાસ આંટા મારતા બંધ થાય. કેટલાક અંધશ્રદ્ધાળુ હિન્દુ દંપતીઓ તેમની યુવાન દીકરીઓ લવ જેહાદમાં ન સપડાય એ માટે આગોતરા આયોજનરૂપે ઝાડફૂંક કરતાં બાબાઓના શરણે જવા લાગ્યા છે! વહેતી ગંગામાં હાથ ધોવાના ઈરાદે આવા બાબાઓ પણફૂલપ્રૂફ અને ચમત્કારીઉપાયો બતાવી ગરજવાન લોકોને ખંખેરી રહ્યા છે.

યુ.પી.માં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી પરણી જવાના કિસ્સાઓ એટલા વધી ગયા છે કે ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ મુઝફ્ફરનગરમાં હિન્દુ આગેવાનો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ પરિવારોનેબેટી બચાવો, બહુ બચાવોએવું સ્લોગન આપવામાં આવ્યું હતું. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ આર.એસ.એસ.ના કાર્યકરોએ પશ્ચિમ યુ.પી.માં એક અઠવાડિયા લાંબી રેલી કાઢી હતી જેમાં તેમણે હિન્દુ પુરુષો અને સ્ત્રીઓને રાખડી બાંધી તેમને લવ જેહાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું આહ્વાન આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ બાબતમાં હિન્દુ-જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર છે કે લવ જેહાદના વિરોધમાં યુ.પી.ના સવર્ણો અને દલિતો એકસાથે થયા છે. ચર્ચાઓ એવી પણ છે કે અમિત શાહને યુ.પી.નું સુકાન સોંપાયું છે એની પાછળ લવજેહાદને ડામવાનો એજન્ડા પણ છે.

વિવાદોનું કુરુક્ષેત્ર બનેલા સવારા ગામમાં જ બે વર્ષ અગાઉ એક હિન્દુ યુવકે એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલમાં તેઓ તેમના બાળક સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે. એમના પ્રેમલગ્ન બાબતે હિન્દુ કે મુસ્લિમોએ સહેજ પણ દેકારો બોલાવ્યો નહોતો એ ઉલ્લેખનીય છે. જોકે, આવા કિસ્સા જવલ્લે જ બને છે. મોટેભાગે તો મુસ્લિમ યુવાનો જ દુલ્હનિયા લઈ જાય છે.

લવ જેહાદ સત્ય હકીકત હોય કે કાલ્પનિક ભૂતાવળ, પણ એના લીધે ઉત્તરપ્રદેશના સામાજિક જીવનના સૌહાર્દપૂર્ણ તાણાવાણા ખોરવાઈ રહ્યા છે એ ચોક્કસ છે.

લવ જેહાદનો લેટેસ્ટ શિકાર- તારા શાહદેવ

લવ જેહાદ જેવી કોઈ વસ્તુ જ નથીએમ કહેનારા લોકોની બોલતી બંધ કરે એવો એક સનસનીખેજ કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં રહેતી ૨૭ વર્ષીય તારા શાહદેવ નામની યુવતીએ પોતાના પતિને હવાલાતમાં ધકેલાવી દીધો છે. તારાએ પોતાના પતિ પર આરોપ મૂક્યો છે કે તેનો પતિ તેના પર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે બળજબરી કરી રહ્યો છે.

માંડીને વાત કરીએ તો, તારા શાહદેવ એક પ્રોફેશનલ શૂટર છે. તિરંદાજીની સ્પર્ધામાં તે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ૧૪ જુલાઈ, ૨૦૧૩ના રોજ તેના લગ્ન ૩૮ વર્ષીય રંજિત કોહલી સાથે થયા હતા. શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. ૨૦૧૪ના રમઝાન માસમાં એક આમંત્રણ કાર્ડ પર પતિનું નામ રકીબુલ હસન લખાયેલું જોઈ તારાને જાણ થઈ કે તેનો પતિ અસલમાં મુસ્લિમ છે! આ છેતરપિંડી તારાએ નિભાવી લીધી પરંતુ પત્ની સામે પોલ ફૂટી જતાં રકીબુલે પોત પ્રકાશ્યું. તેણે તારા પર ધર્મપરિવર્તન કરી લેવા માટે દબાણ આપવાનું શરૂ કર્યું. તારા ન માની ત્યારે તેની મારપીટ શરૂ થઈ. એક દિવસ તો તેના પર એક ખૂંખાર કૂતરો છોડી મૂકવામાં આવ્યો. છેવટે કંટાળેલી તારાએ પોલીસમાં એફ.આઇ.આર. નોંધાવી.

પોલીસે ગત સપ્તાહે રકીબુલની ધરપકડ કરી. તેના ફ્લેટની જડતીમાં ૧૬ સિમ કાર્ડ, ૧૫ મોબાઇલ ફોન, ૨ કમ્પ્યુટર, ૪ પ્રિન્ટર, ૨ બંદૂક અને કેટલાક સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા! કોર્ટે રકીબુલ અને તેની માતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને પોલીસે બંનેને ૧૪ દિવસના રિમાન્ડ પર લીધાં. શરૂઆતમાં તો રકીબુલે પોતે હિન્દુ હોવાનું રટણ ચાલુ રાખ્યું પણ પછી સ્વીકાર્યું કે ૨૦૦૭માં એક તાંત્રિકના કહેવાથી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. જોકે તેણે લવ જેહાદને નામે તેની પત્ની પર અત્યાચાર કરવાના આરોપ નકાર્યા છે.

રંજિત ઉર્ફ રકીબુલ કોઈ સામાન્ય માણસ નથી. ઝારખંડના બહુ ઊંચા લોકો સાથે તેના કનેક્શન્સ બહાર આવી રહ્યા છે, જેમાં ભૂતપૂર્વ સાંસદ ઇન્દ્ર સિંઘ નામધારી, વેલફેર મિનિસ્ટર હાજી હુસૈન અન્સારી અને એમ.એલ.. સુરેશ પાસવાનના નામ ઉછળ્યા છે. રકીબુલ વિશે મીડિયા સાથે સાફ વાત કરવાથી તેઓ છટકી રહ્યા છે જે સૂચક છે. રકીબુલ પાસેથી મળી આવેલા અમુક સિમ કાર્ડ તો આવા જ મોટા માથાઓને નામે ખરીદવામાં આવ્યા છે. પોલીસ સામે તેણે વિસ્ફોટક કબૂલાત કરી છે કે, રાજકારણીઓ, અમલદારો અને પોલીસ અધિકારીઓને તે કોલગર્લ્સ પૂરી પાડતો હતો. એક અહેવાલ મુજબ તેણે ૩૬ મહાનુભાવોના નામ લીધા છે! આ કબૂલાત બાદ તેના જીવનું જોખમ વધી ગયું છે.

ન્યાય મળવા બાબતે શંકાશીલ તારાએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગ કરી છે. તારાએ એફ.આઇ.આર. લખાવી તેના એક અઠવાડીયા બાદ રકીબુલની ધરપકડ કરવામાં આવી હતી જેથી સંવેદનશીલ સાબિતીઓ સગેવગે કરવા માટે તેને સમય મળી જાય. તારાના જણાવ્યા મુજબ એક આઇ.પી.એસ. ઓફિસરે તેને થોડા દિવસો માટે મીડિયાથી દૂર કોઈ અજાણી જગ્યાએ જતા રહેવાની સલાહ આપી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મળી તારાએ તેમને પોતાની આપવીતી જણાવી ઉમેર્યું હતું કે, રકીબુલનાકોલ ગર્લ રેકેટમાં ફસાયેલી અનેક છોકરીઓ રકીબુલના સગા-સંબંધીઓના ઘરે કેદ છે. સોરેને ગત શુક્રવારે આ કેસની તપાસ સી.બી.આઇ.ને સોંપવા બાબતે સંમતિ દર્શાવી છે.

તારાએ પોલીસ પર લગાવેલા આરોપ ગંભીર છે. શું ખરેખર આ કેસમાં પોલીસની ભૂંડી ભૂમિકા છે? મોદી સરકાર આ કેસમાં કેવું વલણ અખત્યાર કરશે? રંજિત ઉર્ફ રકીબુલે પોતાનું મોં ખોલીને જે ભૂકંપ સર્જ્યો છે એ તેના માટે જીવલેણ સાબિત થશે? કે પછી અનેકવાર બન્યું છે એમ આ કેસમાં પણ ભીનું સંકેલી લેવામાં આવશે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા રસપ્રદ બની રહેશે.

નોંધઃ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.




Tuesday, 12 August 2014

સામાન્ય માણસથી માંડી નેતાઓની જાસૂસી થાય છે!

અંગત માહિતીનીતફડંચીસમય સાથે અત્યાધુનિક બની છે. જૂના જમાનામાં લેન્ડલાઇન ફોન સાથે અલગ વાયર જોડી ફોન ટેપ થતાં. આધુનિક જમાનામાં દરેક ફોન કોલ સેટેલાઇટના માધ્યમે અહીં-તહીં પ્રવાસ કરતો હોય ત્યારે તેને હવામાં કેચકરી લેવામાં આવે છે.

૧૯૭૧નું વર્ષ છે. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ઓફિસમાં શ્રીમતી ગાંધી અને સેના ઉચ્ચાધ્યક્ષ જનરલ સામ માણેકશા ગંભીર ચર્ચા માટે ભેગા થયા છે. પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ) પર સશસ્ત્ર હુમલો કરવા બાબતેની મિટિંગ હતી. હુમલા માટે ભારતીય સેના કેટલી સજ્જ છે વિશે બોલતા માણેકશાને અટકાવી શ્રીમતી ગાંધીએ એમના તરફ એક ચબરખી સરકાવી, જેમાં લખ્યું હતું, ‘ચર્ચા કાગળમાં લખીને કરો. મને શંકા છે કે ઓફિસમાં વોઇસ રેકોર્ડિંગ સાધનો છુપાવવામાં આવ્યા છે.’

બીજો એક કિસ્સો જોઈએ. તાજેતરમાં ત્રણ મહિલાઓ ફેસબુક પર ચેટિંગ કરી રહી હતી. ત્રણે બીજેપીના નેતાઓની પત્ની હતી. હરિયાણાના ઉભરતા નેતા વિશે શરૂ થયેલી ચેટ આગળ જતાં રાજકારણીઓ પાસે કામ કઢાવવા માટે કઈ રીતે કોલ ગર્લ્સ પૂરી પાડવામાં આવે છે દિશામાં આગળ વધી. ફેસબુકના અમેરિકન અધિકારીઓને અને ઉપરાંતની કેટલીક માહિતીઓ અભદ્ર અને સંવેદનશીલ જણાતા તેમણે સમગ્ર ચેટિંગ શબ્દશઃ ભારતની જાસૂસી સંસ્થાઓને મોકલી આપી. મામલામાં ભીનું સંકેલાઈ ગયું અને કોઈના નામ બહાર નથી આવ્યા, પણ બાબત સાબિત કરે છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમે જે કંઈ શેઅર કરો છો કેટલુંખાનગીછે. ફોન અને લેપટોપના માધ્યમે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટ્સ, પાસવર્ડ, ડોક્યુમેન્ટ્સકંઈ કરતાં કંઈ અંગત નથી રહેતું.

૪૦ વર્ષ અગાઉ અમેરિકન સાંસદ ફ્રાન્ક ચર્ચએ એક રસપ્રદ વાત કરી હતી કે, ‘ભવિષ્યમાં છુપાવા માટે કોઈ જગ્યા બાકી નહીં રહેશે.’(There would be no place to hide.) એમના શબ્દોને ટાઇટલ બનાવી પત્રકાર ગ્લેન ગ્રીનવાલ્ડે ૨૦૧૩માં no place to hide નામનું પુસ્તક લખ્યું હતું. પુસ્તકમાં તેણે અમેરિકન સરકારની ઊંઘ હરામ કરી નાખનાર પેલા એડવર્ડ સ્નોડેન દ્વારા જાહેર કરાયેલી સ્ફોટક માહિતીઓ આલેખી હતી, જે સાબિત કરતી હતી કે અમેરિકન સરકારફાવે ત્યારે, ચાહે તેનીવિવિધરૂપે જાસૂસી કરાવતી હતી. તાજેતરમાં ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન અને તે પહેલા પણ અમેરિકાએ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની જાસૂસી(બગિંગ) કરાવી હોવાના અહેવાલ હતા. મીડિયામાં ખાસ્સા ચગેલા મુદ્દા પર ટાઢું પાણી રેડતા બીજેપીના રાજનાથ સિંહ તથા નીતિન ગડકરી જેવા નેતાઓએ આવી કોઈ બાબત નકારી હતી, તો બડબોલા સુબ્રમણ્યમ સ્વામીએ આમાંઅમેરિકન હાથહોવાની વાતનું સમર્થન કર્યું હતું.

આમ તો દરેક દેશની જાસૂસી સંસ્થાઓ કોઈ ને કોઈ માણસો કે સંસ્થાઓની અંગત માહિતીઓ આંતરતી હોય છે. ‘પિપિંગ ટોમસમી આવી ભારતીય સંસ્થાઓમાં નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(NTRO), રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ(RAW) અને ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)નો સમાવેશ થાય છે. મીડિયા કે જાહેર જનતા સુધી આવીચોરેલીમાહિતીઓ પહોંચતી નથી. ઘણાના સ્થાપિત હિતોનું રક્ષણ કરવા આવી અંગત માહિતીઓ છુપાવવામાં આવે છે. સામે પક્ષે ખાનગી જાસૂસી સંસ્થાઓ પોતાનીચોર કળાનું ગાઈ-વગાડીને પ્રદર્શન કરતી હોય છે કેમ કે એનાથી એમના ધંધાને વેગ મળતો હોય છે.

મોટા કોર્પોરેટ હાઉસીસ બિઝનેસમાં તેમના પ્રતિસ્પર્ધીઓથી બે કદમ આગળ રહેવા માટે જાસૂસી સાધનોનો ઉપયોગ કરે વાત તો જૂની થઈ. હવે તો નાના ઉદ્યોગગૃહો પણ સસ્તામાં મળતા આવા સાધનો વાપરતા થયા છે. દિલ્હીમાં આવેલા એશિયામાં સૌથી મોટા ગણાતા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટગફાર બજારમાં આવા ઉપકરણો આસાનીથી ઉપલબ્ધ છે. રમકડાંથી લઈને ફટાકડાં અને ગૃહોપયોગી ચીજોથી લઈને મોબાઇલ સુધીની લગભગ તમામ ચીજો સસ્તા ભાવે ભારતમાં પધરાવવામાં પાવરધું ચીન મામલે પણ પાછળ નથી. ચીની બનાવટના ઉપકરણો અહીં ૭૦૦૦થી લઈને ૫૦૦૦૦ રૂપિયામાં વેચાય છે. જાસૂસી ડિવાઇસ જેટલા મોંઘા હોય એટલા વધુ કાર્યક્ષમ હોય છે. મોંઘા ઉપકરણોની રેન્જ વધુ હોય છે અને તેઓ લાંબા સમય સુધી કામ આપે છે. ટચૂકડા પાવર સેલથી ચાલતા આવા ઉપકરણો સરળતાથી કોઈ ટેબલ નીચે કે દીવાલ પર લગાડેલા ચિત્રની પાછળ છુપાવી શકાય છે. છેલ્લા થોડા વર્ષોમાં સગા-સંબંધી-મિત્રો પર જાસૂસી કરાવવાનું ચલણ ભારતમાં વધ્યું છે. લગ્ન બાહ્ય સંબંધોનોથપ્પોકરવા તથા લગ્ન અગાઉ પણ વર કે કન્યાનાચારિત્ર્યના અભ્યાસમાટે ખાનગી જાસૂસોની સેવા લેવામાં આવે છે. આવા કામમાં સસ્તા સાધનોનો છૂટથી ઉપયોગ થાય છે.

સામાન્ય જણાતા મોબાઇલ ફોન સાથે થોડી અમસ્તી છેડછાડ કરીને તેને જાસૂસી ઉપકરણમાં ફેરવી શકાય છે. ખાસ પ્રકારના સોફ્ટવેર ફોનમાં ઇન્સ્ટોલ કરી, જે વ્યક્તિની વાતચીત રેકોર્ડ કરવી હોય તેની આસપાસ જઈ ઊભા રહેવું. તમારા ફોનમાં અગાઉથી સેટ કરેલા કોઈ ચોક્કસ નંબર પરથી તમારા ફોન પર કોલ કરવામાં આવે સાથે તમારા ફોનમાં રહેલું રેકોર્ડિંગનું ફિચર એક્ટિવેટ થઈ જશે. તમે કોલ રિસિવ નહીં કરો, ફોનને સ્પર્શ પણ નહીં કરો તો પણ રેકોર્ડિંગ ચાલુ થઈ જશે. ઓછી અંતર મર્યાદામાં કામ કરતાં આવા જાસૂસી ઉપકરણો પેન ડ્રાઇવ, બોલ પેન અને ચશ્માં રૂપે પણ મળે છે. તેને જોઈ કોઈને સહેજ પણ શંકા જાય એવી એની બનાવટ હોય છે. અમુક વધુ એડવાન્સ્ડ સાધનો તો રેકોર્ડ કરેલામાલને તાત્કાલિક અલ્ટ્રાસોનિક સાઉન્ડમાં ફેરવી દે છે એટલે રેકોર્ડિંગ ડિવાઇસ પકડાઈ જાય તો પણ શું રેકોર્ડ થયું સાંભળી શકાતું નથી અને પકડાયેલી વ્યક્તિ શંકાનો લાભ લઈ છૂટી શકે છે. અલ્ટ્રાસોનિક સાઉન્ડને ખાસ સોફ્ટવેરની મદદથી ફરીથી કન્વર્ટ કર્યા બાદ સાંભળી શકાય છે. ઉપરાંત રેડિયો ફ્રિક્વન્સી ડિવાઇસ તો ખરાં , જે શર્ટના બટન જેટલી સાઇઝમાં મળતા હોવાથી ગમે ત્યાં આસાનીથી છુપાવી શકાય છે. ‘યુઝ એન્ડ થ્રોટાઇપના આવા સસ્તા ઉપકરણનો સેલ ત્રણ કલાક ચાલે પછી સેલ અને ઉપકરણ બંને કાયમ માટે ઠપ્પ થઈ જાય છે.

દરેક રોગનો ઈલાજ હોય છે એમ જાસૂસી ઉપકરણોનું પણ ઓસડિયું છે. ‘એન્ટી બગિંગ ડિવાઇસકહેવાતા આવા ઉપકરણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરતાં હોય છે જેનાથી અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો ઠપ્પ થઈ જાય છે. જોકે અત્યંત મોંઘા હોવાથી તે બધાને પરવડી નથી શકતા.

અમેરિકા અને યુરોપમાં વેચાતા જાસૂસી ઉપકરણોનો ત્યાં વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ ગેરકાયદે ના થાય. ‘બોડી બામણીના ખેતરજેવા ભારતમાં રિવોલ્વર જેવા ઘાતક હથિયારો ખરીદનારની માહિતી રાખવામાં આવે છે પરંતુ છૂટથી વેચાતા જાસૂસી ઉપકરણોનો કોણ કેવો ઉપયોગ કરે છે એની સાથે કોઈને નિસ્બત નથી. આપણે ત્યાં પોલીસ અને NTRO જેવી સંસ્થાઓને લેટેસ્ટ મોડેલના જાસૂસી સાધનો વાપરવાની છૂટ છે. સરકારી પૈસે ખરીદાયેલા આવા સાધનો વિપક્ષોની જાસૂસી માટે વપરાતા હોય એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. તાજેતરમાં નવી કેન્દ્ર સરકારની ખુરશી તળે બગિંગનો રેલો આવ્યો છે ત્યારે આવા સાધનોના બેફામ વેચાણ પર નિયંત્રણ મૂકવામાં આવે એવી સંભાવના ખરી.

વિરોધી નેતાઓની જાસૂસી કરાવવાની પરંપરા

વિરોધીઓની જાસૂસી કરાવવાની પરંપરા ભારતમાંઆગુ સે ચલી રહી હૈ’. નોંધપાત્ર ઘટનાઓ પર એક નજર નાખીએ તો, ૧૯૮૩માં મેનકા ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એના પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે. એનો ફોન ટેપ થાય છે અને પત્રો પણ ખોલીને વાંચી લેવાય છે. તેનો ઈશારો સ્પષ્ટપણે ઈન્દિરા ગાંધી તરફ હતો.

૧૯૯૧માં હરિયાણાના બે જાસૂસો રાજીવ ગાંધીના ઘરની નજીકથી ઝડપાયા હતા. રાજીવ કોને કોને મળે છે અને શું ચર્ચા કરે છે એના પર તેઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા. રાજીવ ગાંધી પર પણ બગિંગ કરાવવાનો આરોપ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે લગાવ્યો હતો. બંને વચ્ચે બનતું હોવાથી રાજીવ એમની જાસૂસી કરાવતા એવું તેમનું કહેવું હતું. પત્રકારો અને મિત્રો સાથેની મુલાકાત ઝૈલ સિંહ તેમના ઘરના બગીચામાં રાખતા જેથી બગિંગથી બચી શકાય.

૨૦૦૬માં સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમના જનરલ સેક્રેટરી અમર સિંહનો ફોન કેન્દ્ર સરકારના આદેશથી ટેપ કરવામાં આવી રહ્યો છે. કેસમાં દિલ્હી સ્થિત જાસૂસી સંસ્થાવી-ડિટેક્ટના સંચાલક અનુરાગ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટેલા અનુરાગે ફરી ધંધો શરૂ કરી દીધો. વખતે તેનો શિકાર હતા અરુણ જેટલી. ૨૦૧૩માં પ્રકરણ બહાર આવ્યા બાદ દિલ્હી પોલીસે અનુરાગને ફરી જેલમાં ધકેલી દીધો હતો.

ગૃહ ખાતાની મંજૂરી લઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ૨૦૦૮-૨૦૦૯માં ૩૦૦ દિવસ સુધી નીરા રાડિયાના ફોન ટેપ કર્યા હતા. ટેલિકોમ મિનિસ્ટર . રાજા તથા અન્ય ઉદ્યોગપતિઓ સાથેની રાડિયાની વાતચીત ૨૦૧૦માંઓપનનામના મેગેઝિનમાં પ્રગટ થઈ હતી અને દેકારો બોલી ગયો હતો.

૨૦૧૧માં ત્યારના નાણાં મંત્રી પ્રણવ મુખરજીની ઓફિસ બિલ્ડિંગમાંથી - નહીં પણ પૂરી ૧૬ ગમ સ્ટિકમળી આવી હતી, જે પૈકી ત્રણ તો તેમના ટેબલ નીચે ચોંટાડેલી હતી. પ્રકારની સ્ટિક હતી જે જાસૂસીના સાધનો ચોંટાડવામાં વપરાય છે. મુખરજીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખી સ્પષ્ટતા માગી હતી કે, શું એમની વફાદારી પર એમની પાર્ટીને શંકા છે! વિરોધી પાર્ટી બીજેપીએ ઘટનાની તપાસની માગ કરી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરોએ તપાસ કરીને જણાવ્યું કે, તો ફક્ત ચ્યુઇંગમ હતી! ૧૬ જેટલી ચ્યુઇંગમ નાણાં મંત્રીની ઓફિસમાં કોણ-શા માટે ચોંટાડે એનો ખુલાસો કદી કરવામાં આવ્યો. મુખરજીએ જાહેરમાં સમગ્ર ઘટનાક્રમને અફવામાં ખપાવી દીધો હતો.

૨૦૧૨માં સંરક્ષણ મંત્રી . કે. એન્ટોનીની ઓફિસમાં જાસૂસી ઉપકરણ ઝડપાયું હતું. સમયે કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાના અધિકારીઓ વચ્ચે સખત તણાવભરી સ્થિતિ હતી. વર્ષે સપ્ટેમ્બરમાં બીજેપી નેતા યશવંત સિંહાએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ પર ઉઘાડેછોગ આરોપ લગાવ્યો હતો કે, એરસેલ-મેક્સીસ ઘોટાળામાં ચિદમ્બરમની સંડોવણી બાબતે સિંહાએ પ્રશ્નો ઉઠાવ્યા હોવાથી ચિદમ્બરમે સિંહાની ઓફિસનો ફોન ટેપ કરાવ્યો હતો.

૨૦૧૩માં વિકિલીક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, અમેરિકન સંસ્થા NSA(નેશનલ સિક્યોરિટી એજન્સી) બીજેપીના ટોચના નેતાઓની ગતિવિધિઓ પર છેક ૨૦૧૦થીનજરરાખી રહી હતી. અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસના ફોન કોલ્સ પણ ટેપ થતા હતા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ વાત બહાર આવી હતી. જોકે ભારત એકમાત્ર દેશ નથી જેની અમેરિકાએ જાસૂસી કરાવી હોય. દુનિયાના ૩૫ દિગ્ગજ નેતાઓના ફોન ટેપ કરાવતી હોવાનો આરોપ NSA પર લગાવવામાં આવ્યો છે!

૨૦૧૩માં એવી વાત બહાર આવી હતી કે, વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા એક ચોક્કસ યુવતીની જાસૂસી કરાવવામાં આવતી હતી. જોકે વિવાદ પર ટાઢું પાણી રેડતા તે યુવતીના પરિજનોએ આવી કોઈ શક્યતાને નકારી હતી અને ઉલટાનું તેમના પરિવારને પોલીસ સિક્યોરિટી આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીએ એક વાર કહ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં ૯૦૦૦૦ લોકોના ફોન ગેરકાયદે ટેપ કરવામાં આવે છે!

થોડા વર્ષો અગાઉ બીસીસીઆઇના એક ભૂતપૂર્વ અધિકારીએ ભારતીય ક્રિકેટના માંધાતાઓના ફોન, -મેઇલ, ક્રેડિટ કાર્ડ્સ વગેરેની માહિતી મેળવવા લંડનમાં રહીને કામ કરતા મોસાદ(ઈઝરાયેલની વિખ્યાત જાસૂસી સંસ્થા)ના નિવૃત્ત જાસૂસોની સેવા લીધી હોવાનું કહેવાય છે. માહિતીઓ પછી પડદા પાછળ બ્લેકમેઇલિંગ માટે વપરાઈ હતી.

યુપીએ સરકારના રાજમાં પોલિટિકલ જાસૂસીનું ભૂત ખાસ્સું ધૂણ્યું હતું. અફવા એવી હતી કે નીતિન ગડકરીના મુંબઈ સ્થિત નિવાસસ્થાનેજાસૂસી ઉપકરણોફિટ કરવામાં આવ્યા હતા.

અત્યાધુનિક જાસૂસી જીવડું - પેસિવ ઇન્ટરસેપ્ટર

લાંબા વાયર અને રેકોર્ડિંગ ડિવાઇસ છુપાવવા હવે કોઈના ઘર કે ઓફિસમાં ચોરીછૂપે જવાનું જોખમ ખેડવું નથી પડતું. બસ આધુનિક સાધનો વસાવી લો અને મંડી પડો. આવું એક સાધન છે, પેસિવ ઇન્ટરસેપ્ટર. દેખાવમાં અદ્દલ લેપટોપ જેવું લાગતું ઉપકરણએક તીરે સો શિકારકરવા માટે જાણીતું છે. ફોન કોલ્સ ટેપ કરવાથી માંડીને ટેક્સ્ટ મેસેજ, સ્કાઇપ કોલ્સ, બ્લેકબેરી મેસેન્જર ડિટેઇલ્સ, ફેસબુક તથા વોટ્સએપ ચેટ જેવી તમામ અંગત માહિતીઓને તે આંતરી શકે છે. સાધન ૨થી કિલોમીટર સુધીની ત્રિજ્યામાં રહેલા કોઈપણ ફોનને ટ્રેસ કરી શકે છે. ભારતમાં બનતું ઉપકરણ વાયા દુબઈ થઈને ભારતીય વપરાશકારો સુધી પહોંચે છે. ઈઝરાયલ, યુક્રેન અને ચીન એનું મોટાપાયે ઉત્પાદન કરે છે. શરૂઆતમાં કરોડ રૂપિયામાં મળતું સાધન હવે તેની ખપત વધતાં કરોડમાં મળતું થયું છે. લેપટોપ જેવું દેખાતું હોવાથી એરપોર્ટ જેવા સ્થળોએ ઉપકરણને આસાનીથી કસ્ટમ ક્લિયરન્સ મળી જાય છે.

જેનો ફોન આંતરવો હોય એના પર પેસિવ ઇન્ટરસેપ્ટર થકી કોલ કરવામાં આવે છે. પેલો કોલ રિસીવ કરે એટલે તેના ફોનનો ૧૫ આંકડાનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી કોડ મેળવી લઈઆજા, ફસાજાટાઇપનું પેસિવ ઇન્ટરસેપ્ટર પોતાનો જાદુ ચલાવે છે. પછી સામેવાળાના ટેક્સ્ટ અને વોઇસ મેસેજ કે કોલ ડિટેઇલ્સ- કશું ખાનગી નથી રહેતું.

નોંધઃ ૬ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.