Wednesday 25 February 2015

હવે જર્મનીમાં હિટલરની આત્મકથા પ્રકાશિત થશે

હિટલરની આત્મકથામાઈન કામ્ફના કોપીરાઈટ બવરિયા સ્ટેટને મળ્યા હતા, પરંતુ તેણે પુસ્તકનું પ્રકાશન કરવાનો નિર્ણય લીધો હતો. હિટલરના મૃત્યુના 70 વર્ષ બાદ પુસ્તક કોપીરાઈટથી મુક્ત થતા કોઈપણ વ્યક્તિ તેનું પ્રકાશન કરી શકશે.

  
એડોલ્ફ હિટલર. નામનું સ્મરણ થાય એટલે આંખો સામે તાદૃશ્ય થાય ટૂથબ્રશ સ્ટાઇલ મૂછ ધરાવતો કરડાકીભર્યો ચહેરો ધરાવતો સરમુખત્યાર. એક એવો સરમુખત્યાર જેણે દુનિયાને દ્વિતીય વિશ્વયુદ્ધના દોઝખમાં ઝોંકી દીધું હતું. વિશ્વમાં સૌથી ચર્ચિત શાસક એવો એડોલ્ફ હિટલર હાલ ફરીથી ચર્ચામાં છે. અને ચર્ચાનું કારણ છે એની આત્મકથામાઇન કામ્ફ’(મારો સંઘર્ષ).


૬૦ લાખ યહુદીઓને મોતના ખપ્પરમાં હોમી દેનાર એડોલ્ફ હિટલર વિશે દુનિયાભરમાં ઘણા પુસ્તકો લખાયા છે, પણ એમાં સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલું પુસ્તક હોય તો છે તેની આત્મકથામાઇન કામ્ફ’. નવાઈની વાત છે કે દુનિયાની અનેક ભાષામાં ભાષાંતર પામેલું અને છૂટથી વેચાતું પુસ્તક જર્મનીમાં ઉપલબ્ધ નથી! લોકો એવું માને છે કે પુસ્તકમાં હિટલરની ક્રૂર મહત્વાકાંક્ષાઓનું વર્ણન હોવાથી તેના પર આટલા વર્ષો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ હકીકત એનાથી વેગળી છે. પુસ્તકના કોપીરાઇટ ધરાવતા જર્મનીના બવરિયા સ્ટેટને પુસ્તકના પ્રકાશનમાં કોઈ રસ ના હોવાથી પુસ્તક નહોતું છપાયું. જર્મનીના કાયદા પ્રમાણે લેખકનાં મૃત્યુનાં સિત્તેર વર્ષ બાદ તેનાં લખાણ પરથી કોપીરાઇટ હટી જાય છે ત્યારબાદ તેને છાપવાનો અધિકાર કોઈને પણ મળી શકે છે. હિટલરે ૧૯૪૫માં આત્મહત્યા કરી હતી એટલે ૨૦૧૫માં તેની આત્મકથા પરના કોપીરાઇટનો અંત આવે છે. કોપીરાઇટ હટી જવાથી હવે જર્મન અધિકારીઓ પુસ્તક પર કોઈ જાતનું નિયંત્રણ નહીં રાખી શકે. તેનું પ્રકાશન અને વિતરણ કોઈ પણ કરી શકશે.

હિટલરની આત્મકથા તેની નાઝી પાર્ટી દ્વારા સંચાલિતફ્રાન્ઝ એહર’ (Franz-Eher ) નામના પ્રકાશનગૃહે સૌપ્રથમ ૧૯૨૫માં પ્રકાશિત કરી હતી. હિટલરના મૃત્યુ બાદ પુસ્તકના કોપીરાઇટ તેની જન્મભૂમિ બવરિયા સ્ટેટને મળ્યા હતા. બવરિયા સ્ટેટે પુસ્તકનું પ્રકાશન અટકાવી દીધું હોવાથી ત્યારથી અત્યાર સુધી જર્મનીમાં હિટલરની આત્મકથા છપાઈ નહોતી

હવે મ્યુનિચ (જર્મનીનું એક શહેર)ની ઇન્સ્ટિટ્યુટ ફોર કન્ટેમ્પરરી હિસ્ટ્રી નામની સંસ્થા હિટલરની આત્મકથાને નવા રૂપમાં પ્રકાશિત કરવા જઈ રહી છે. સંસ્થાના જણાવ્યા મુજબ બે ભાગમાં પ્રકાશિત થનારા પુસ્તકમાં કુલ ૨૦૦૦ પાનાં હશે, જેમાંના ૭૮૦ પાનાં હિટલરની મૂળ આત્મકથામાંથી લેવામાં આવશે અને બાકીના પાનાંમાં સંશોધકોએ મેળવેલી હકીકતો હશે. કોપીરાઇટ ભલે ૨૦૧૫માં પૂરા થવાના હોય પણ ઉત્સાહી સંશોધકોએ તો વર્ષોથી હિટલરના જીવન વિશે માહિતી એકઠી કરવા માંડી હતી જેથી તેની આત્મકથાની નવી આવૃત્તિ વખતે બધો ડેટા તૈયાર હોય અને ફટાફટ પ્રકાશન કરી શકાય

૧૯૨૩માં હિટલરે જર્મનીમાં તખ્તાપલટની કોશિશ કરેલી, જેમાં અસફળ થયા બાદ તેને મ્યુનિચની જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. જેલમાં તેણે આત્મકથા લખી હતી, જે તેના યહુદીવિરોધી વિચારોથી ભરેલી છે. પોતાને મસીહા માનતા હિટલર માટે જર્મનો શુદ્ધ લોહીની પ્રજા હતી અને યહુદીઓ શેતાનનું રૂપ. તેના ભાષણોમાં પણ યહુદીઓ માટેની નફરત સ્પષ્ટ દેખાતી. તે સત્તામાં આવ્યો ત્યાં સુધીમાં તેની આત્મકથાની એક કરોડથી વધુ નકલો છપાઈ ચૂકી હતી. નાઝી સરકાર પુસ્તક લોકોને ફ્રીમાં ભેટ આપતી. લોકો હિટલરનું લખાણ વાંચી એના પ્રભાવમાં આવી જતા. આને એક પ્રકારનું સામૂહિક બ્રેઇનવોશ ગણી શકાય. હિટલરે જે કંઈ લખ્યું હતું તેમાંથી ઘણી વસ્તુઓને અંજામ આપવામાં તે ભવિષ્યમાં સફળ થયો હતો. સત્તામાં બેઠેલા લોકોએ જો તેના લખાણને ગંભીરતાથી લીધું હોત તો તેમને ભવિષ્યના ખતરાનો અંદાજ આવ્યો હોત અને કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધ ટાળી શકાયું હોત. કદાચ

બવરિયા સ્ટેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હિટલરની આત્મકથાને પરિણામે લાખો લોકો મૃત્યુને ભેટ્યાં હતાં, એના લખાણને લીધે એક બહોળો સમુદાય ગેરમાર્ગે દોરાયો હતો અને વિશ્વયુદ્ધ સર્જાયું હતું. પુસ્તક વાંચી લોકો ભૂતકાળનું પુનરાવર્તન ના કરે માટે પુસ્તકની નવી આવૃત્તિને ઉચિત ટિપ્પણીઓ સાથે છાપવી જોઈએ. મ્યુનિચની ઇન્સ્ટિટયુટ ઓફ કન્ટેમ્પરરી હિસ્ટ્રી પુસ્તકનું પ્રકાશન જવાબદારીપૂર્વક કરી રહી છે. તે જે સંસ્કરણ બહાર પાડી રહી છે તેમાં જરૂરી ફૂટનોટ્સ હશે, ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાયો હોય તેવી જગ્યાએ તથ્યોને સ્થાન આપવામાં આવ્યું હશે. જોકે એમ છતાં બવેરિયા સરકારે પુસ્તકને સપોર્ટ કરવાનો ઈન્કાર કર્યો છે, કેમકે જર્મનીમાં પુસ્તક સામે ઓલરેડી વિરોધનો વંટોળ જામ્યો છે. સંભવ છે કે અન્ય પ્રકાશન સંસ્થાઓ કે એકલ-દોકલ વ્યક્તિ પુસ્તકની અનસેન્સર્ડ કોપી છાપે. એવા પુસ્તક પર જર્મન સરકાર પ્રતિબંધ મૂકે એવું પણ બની શકે. જર્મનીમાં વસતા લાખો લોકોની લાગણીઓ ના દુભાય માટે સરકારે આવું પગલું ભરવું પડે.

હિટલરની ક્રૂરતા બદલ મોટાભાગના તેને માનવતાનો દુશ્મન ગણે છે, તો એક વર્ગ એવો પણ છે જે તેને સાચો દેશભક્ત માને છે. હિટલરના પક્ષમાં બોલનારા એવું માને છે કે વિશ્વનો ઈતિહાસ વિજેતા દેશો લખતા હોવાથી હિટલરની ફક્ત નકારાત્મક બાજુ હાઇલાઇટ કરવામાં આવી છે. તે હતો એના કરતા તેને ખાસ્સો ઓછો આંકવામાં આવ્યો હતો. તેની આત્મકથા પર પ્રતિબંધ હોવો જોઈએ એવું માનનારો મોટો વર્ગ જર્મનીમાં પણ છે. હિટલરની નીતિ અને વિચારધારાને ટેકો ના આપી શકાય, પણ પુસ્તકને પ્રતિબંધિત કરવાના પરિણામ વિપરીત આવી શકે છે. નવી પેઢીને વિષયમાં યોગ્ય સમજણ મળે માટે પુસ્તકની સેન્સર્ડ આવૃત્તિ આવશ્યક છે એવું લોકો માને છે. નિષ્ણાતો કહે છે કે આજના આધુનિક જમાનામાં પુસ્તક પર પ્રતિબંધ લગાવવો અશક્ય છે. ઇન્ટરનેટ જેવા માધ્યમથી પુસ્તકની અન્સેન્સર્ડ કોપી મેળવવું મુશ્કેલ નથી , ત્યારે એના પ્રકાશનને લઈને વધુ વિવાદો સર્જી એને વધુ પ્રસિદ્ધિ ના આપવી જોઈએ

વિવાદમાં ઘેરાયેલું હિટલરનું જન્મસ્થળ

હિટલરની આત્મકથાના જર્મન ભાષામાં પુનઃપ્રકાશનની સાથે હિટલરને લગતો એક બીજો વિવાદ પણ પ્રકાશમાં આવ્યો છે. વિવાદના કેન્દ્રસ્થાને છે હિટલર જ્યાં જન્મ્યો હતો મકાન. ૨૦ એપ્રિલ ૧૮૮૯ના રોજ હિટલરનો જન્મ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાના બ્રોનો એમ ઇન નામના નાનકડા નગરમાં ત્રણ માળના એક મકાનમાં થયો હતો. હિટલરના જન્મ પછી ફક્ત વર્ષ બાદ તેનો પરિવાર મકાન વેચીને જર્મની સ્થાઈ થઈ ગયો હતો. ગર્લિન્ડે પોમર નામના એક વૃદ્ધ મહિલા હાલમાં મકાનની માલિકી ધરાવે છે. તેમની માતાએ મકાન ૧૯૧૨માં ખરીદ્યું હતું અને ૧૯૭૭માં મિસ. પોમરને નામે કર્યું હતું. હિટલરનું જન્મસ્થળ હોવાથી સરકારે મકાન ભાડે રાખ્યું છે અને ભાડાપેટે ૫૦૦૦ યુરો (લગભગ ,૫૦,૦૦૦ રૂપિયા) જેટલી મોટી રકમ દર મહિને મિસ પોમરને આપે છે. કોઈ અન્ય મકાનનો દુરુપયોગ ના કરે માટે છેક ૧૯૭૨થી સરકારે મકાનને ભાડે લઈ રાખ્યું છે. હિટલર કુખ્યાત હોવા છતાં મકાન દાયકાઓથી પ્રવાસીઓને આકર્ષતું રહ્યું છે. ઝાંખા પીળા રંગના મકાનમાં ભૂતકાળમાં શાળા પણ હતી અને લાઇબ્રેરી પણ. ૨૦૧૧ સુધી વિકલાંગોનું આશ્રયસ્થાન પણ બન્યું હતું, પણ ત્યારથી આજ સુધી ખાલીખમ છે. વણવપરાતા મકાનને મરમ્મતની જરૂર છે. સરકાર મકાનમાં રિનોવેશન કરી તેને આકર્ષક બનાવવા માગે છે જેથી વધુ પ્રવાસીઓ અહીં આવે અને સરકારને પ્રવેશ ફી પેટે આવક મળે. પણ મકાનમાલિક પોમર દાદી આડા ફાટ્યાં છે. તેઓ રિનોવેશનની મંજૂરી નથી આપી રહ્યા. હાલમાં સરકારને મકાનમાંથી પૂરતી આવક મળતી નથી અને ભાડાનાં નાણાં કરદાતાઓના ખિસામાંથી જતા હોવાથી પ્રજા બાબતે સરકારનો વિરોધ કરી રહી છે. નગરજનોના મતે ક્યાં તો સરકારે મકાનનું ભાડું આપવાનું બંધ કરી દેવું જોઈએ અથવા તો કોર્ટની દખલગીરી કરી મકાનનો સંપૂર્ણ કબજો મેળવી લેવો જોઈએ. મકાનમાં સરકાર બીજા વિશ્વયુદ્ધ અને હિટલરના જીવનને લગતું મ્યુઝિયમ બનાવવા માગે છે.  

અમદાવાદમાંહિટલરના નામનો વિવાદ થયો હતો

હિટલર શું બલા હતી એનું એક ઉદાહરણ ગમ્મત ખાતર જોઈએ. વર્ષ ૨૦૧૨માં અમદાવાદની એક ગાર્મેન્ટ શોપનું ઉદ્ઘાટન થયું અને ચારે તરફ હલચલ મચી ગઈ કારણ કે શોપનું નામ હતું, હિટલર..! શોપના માલિક પર તરત લોકોના રિએક્શન આવવા લાગ્યા. યહુદી લોકોએ માલિકને રૂબરૂ મળી શોપનું નામ બદલવા વિનંતી કરી, પણ કામ બન્યું ત્યારે વિનંતીને બદલે ફોન પર ધમકીઓ આપી. અમદાવાદથી નહીં પણ અનેક દેશોમાંથી ફોન કોલ્સ આવવા લાગ્યા. માત્ર ગમ્મત ખાતર રાખવામાં આવેલા નામે પછી તો એવો વિવાદ ચગ્યો કે અમદાવાદ કોર્પોરેશને પણ દુકાનમાલિકને સહકાર આપવાની મનાઈ કરી દીધી. છેવટે નમતું જોખીને માલિકે શોપનું નામ બદલી નાંખ્યું. બનાવ પરથી સાબિત થાય છે કે મર્યાને ૭૦ વર્ષ બાદ પણ હિટલર લોકો માટે સંવેદનશીલ મુદ્દો છે. જર્મનીથી હજારો કિલોમીટર દૂર અમદાવાદમાં હિટલરના નામ પર આવી બબાલ થતી હોય તો જર્મનીમાં તો શું હાલ હશે કલ્પનાનો વિષય છે.

નોંધઃ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment