Wednesday 3 September 2014

લવ જેહાદ-કોમી ‘આતંકવાદ’નું નવું હથિયાર

મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમમાં પાડી, ભગાડી જઈ, લગ્ન કરી તેમનું ધર્મપરિવર્તન કરાવવાના કિસ્સા ઉત્તરપ્રદેશના સામાજિક જીવનના તાણાવાણા ખોરવી રહ્યા છે. ‘લવ જેહાદનામની આ ભૂતાવળ પર રાજકીય રોટલા શેકાવાની ગંધ પણ આવી રહી છે.


ગયા વર્ષે હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી દંગામાં રક્તરંજિત થયેલું ઉત્તરપ્રદેશનું મુઝફ્ફરપુર તાજેતરમાં ફરી એકવાર અખબારોની હેડલાઇન્સમાં શર્મસાર થયું છે. વ્યવસાયે શિક્ષિકા એવી એક ગરીબ હિન્દુ યુવતીએ પોલીસમાં એફ.આઇ.આર. લખાવી હતી કે કેટલાક મુસ્લિમ પુરુષોએ તેનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને પછી તેને ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ બનાવી દેવામાં આવી હતી. ૨૦ વર્ષીય આ યુવતી મેરઠ જિલ્લાના સરાવા નામના ગામમાં આવેલા એક મદ્રેસામાં પાર્ટ ટાઇમ શિક્ષિકા હતી. ૨૩ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેનું અપહરણ કરી તેને મુઝફ્ફરનગર લઈ જવામાં આવી. ત્યાંના મદ્રેસામાં તેને ત્રણ દિવસ કેદ રાખવામાં આવી, જે દરમિયાન તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. ધર્મપરિવર્તનને લગતા અમુક કાગળો પર જબરજસ્તી તેની સહી કરાવવામાં આવી અને પછી તેને ઘરે જવા દેવામાં આવી હતી. ૨૭ જુલાઈએ ઘરે પાછી આવેલી યુવતીને ૨૯ જુલાઈએ ફરીથી ઉઠાવી જવામાં આવી અને મેરઠ શહેરમાં આવેલા મદ્રેસામાં ગોંધી દેવામાં આવી. ત્યાં તે ફરીથી સામૂહિક બળાત્કારનો ભોગ બની. તેનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. પાસપોર્ટ અને દુબઈ માટેના વિઝા પર તેની સહીઓ કરાવવામાં આવી. ૩૦ જુલાઈએ તેને પાછી મુઝફ્ફરનગરના મદ્રેસામાં લઈ જવામાં આવી. બળાત્કારની ક્રૂરતાનો સિલસિલો ત્યાં પણ જારી રહ્યો. અહીંથી તેને સીધી દુબઈ મોકલી દેવાનો કારસો ઘડાયો હતો. ૩ ઓગસ્ટની વહેલી સવારે તક મળતા જ યુવતી મદ્રેસાના પાછલા દરવાજેથી છટકી ગઈ અને બસ પકડી પોતાના ઘરે પાછી ફરી.

યુવતીની ફરિયાદના પગલે પોલીસે સરાવા ગામના સરપંચ નવાબ ખાન, મદ્રેસાના મુખિયા સનાહુલ્લાહની પત્ની અને એક સાગરિત યુવતીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સનાહુલ્લાહ ભાગતો ફરે છે. સમગ્ર ઉત્તરપ્રદેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોમી તંગદિલી વધી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં મુસ્લિમોની વસતી બહુમતીમાં છે. હિન્દુ લોકોના કહેવા મુજબ અત્યંત ગરીબ ઘરના અભણ અને બેકાર મુસ્લિમ યુવકો પણ હિન્દુ છોકરીઓને લઈને ભાગી જાય છે, તેમની સાથે નિકાહ પઢી તેમનું ધર્મપરિવર્તન કરાવી દે છે. આ બધું કરવા માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે એ મોટો પ્રશ્ન છે. સ્વાભાવિક છે કે તેમની કોમના પૈસાપાત્ર માણસોનું પીઠબળ આવા યુવકોને મળે છે.

કહેવાય છે કે હિન્દુ યુવતીઓને ફસાવવાનું કામ સુવ્યવસ્થિતપણે અને એક ખાસ પેટર્નમાં ચાલે છે. મોટેભાગે ગરીબ ઘરની અને ઓછું ભણેલી યુવતીને ટાર્ગેટ કરવામાં આવે છે. યુવક, યુવતીના ઘરની આસપાસ બાઇક પર આંટા મારે છે અને બજારમાં કે સ્કૂલ જતી વખતે યુવતીનો રસ્તો આંતરી પરિચય વધારે છે. બીજી કે ત્રીજી જ મુલાકાતમાં યુવતીને મોલાઇલ ભેટ આપવામાં આવે છે જેથી બંને વચ્ચે સતત વાતચીતનો વ્યવહાર આસાનીથી જળવાઈ રહે. સુખી ભવિષ્યની આશામાં યુવતી ભોળવાઈ જાય છે અને યુવક સાથે ભાગી જવા તૈયાર થાય છે. પછી લગ્ન અને ધર્મપરિવર્તન. આ સ્ક્રિપ્ટ પર અનેક લવસ્ટોરીઓ ભજવાઈ ચૂકી છે. લવસ્ટોરીની સ્ક્રિપ્ટ પૈસાદાર મુસ્લિમ આગેવાનો દ્વારા લખવામાં આવે છે અને ફંડિંગ પણ તેમનું જ હોય છે, એવું હિન્દુ આગેવાનોનું દૃઢપણે માનવું છે. ઘણીવાર તો ભોળી યુવતીને છેક લગ્ન પછી ખબર પડે છે કે તે જેની પ્રેમજાળમાં ફસાઈ છે એ તો પરિણીત છે અને બચરવાળ પણ છે. જોકે છેતરાવાની લાગણી સાથે પણ તેણે બીજી પત્ની તરીકે નિભાવી લેવું પડે છે કેમ કે પછી તેનો હિન્દુ પરિવાર તેને સ્વીકારવા તૈયાર હોતો નથી. કેટલીય યુવતીઓને આરબ દેશોમાં વેચી દેવામાં આવે છે જ્યાં તેમણે ફક્ત એક જ કામ કરવાનું હોય છે- વેશ્યાવૃત્તિ. સરાવાની યુવતી પણ નર્કાગાર સમી કેદમાંથી ન છટકી શકી હોત તો દુબઈમાં તેની પાસે વેશ્યાવૃત્તિ જ કરાવાઈ હોત.

યુ.પી.માં છેડાયેલી આ લવ જેહાદેરાજકીય રંગ પકડ્યો છે. ચિંતિત હિન્દુ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી અને આર.એસ.એસ. પાસે આ મામલામાં દરમિયાનગીરી કરવા માટે ધા નાખી છે. મુસ્લિમ મતોના ધ્રુવીકરણમાં ઉસ્તાદ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આ મામલે મુસ્લિમોના પક્ષે હોવાનું ચિત્ર રચાયું છે. મુસ્લિમ આગેવાનોનું કહેવું છે કે લવ જેહાદ તદ્દન બોગસ વસ્તુ છે. કોમી તંગદિલી સર્જી તેની આગ પર પોતાના રોટલા શેકવા અમુક રાજકીય પાર્ટીઓએ જાણીબુઝીને લવ જેહાદને શસ્ત્ર બનાવ્યું છે. બાકી હિન્દુ-મુસ્લિમ લગ્નો યુ.પી.માં નવાઈની વાત નથી. આ પ્રકારના કિસ્સા શુદ્ધ પ્રેમના ઉદાહરણો છે જેને રાજકીય વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. જોકે એવું કહેતા આગેવાનોને પૂછવાનું કે, તો પછી એવું કેમ બને છે કે ૯૦ ટકા કિસ્સામાં યુવતી જ હિન્દુ હોય? આ લેખ વાંચનાર માટે પણ પ્રશ્ન છે કે, હિન્દુ યુવાનો મુસ્લિમ યુવતીને ભગાડી ગયા હોય એવા કેટલા કિસ્સા વિશે તમે જાણો છો?
છેલ્લા દાયકામાં લવ જેહાદ નામના નાગે કેરળ અને કર્ણાટકમાં પણ માથું ઊંચક્યું છે. તે એટલી હદે કે ૨૦૦૯માં ખુદ કેરળ હાઇકોર્ટે કેરળ સરકારને ટકોર કરવી પડી હતી કે પ્રેમના અંચળા હેઠળ ધર્મપરિવર્તનના કિસ્સા સતત વધી રહ્યા હોઈ તેની વિરુદ્ધ વિશેષ કાયદો ઘડવામાં આવે. કદાચ માનવામાં નહીં આવે પણ એકલા કેરળમાં જ અત્યાર સુધીમાં લવ જેહાદના ૪થી ૫ પજાર કિસ્સા બહાર આવ્યા છે! કર્ણાટકમાં પણ એવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. બંને રાજ્યોમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લવ જેહાદમાં સપડાયેલી પ્રેમાંધ યુવતીઓ ધર્મપરિવર્તનનો ભોગ બને એ પહેલાં તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવી પડી છે.

યુ.પી.ના અમુક જિલ્લાઓમાં તો લવ જેહાદે એટલો હાઉ ઊભો કર્યો છે કે, હિન્દુ વિસ્તારો ફરતે વાડાબંધી કરી દેવામાં આવી છે જેથી મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓના ઘરની આસપાસ આંટા મારતા બંધ થાય. કેટલાક અંધશ્રદ્ધાળુ હિન્દુ દંપતીઓ તેમની યુવાન દીકરીઓ લવ જેહાદમાં ન સપડાય એ માટે આગોતરા આયોજનરૂપે ઝાડફૂંક કરતાં બાબાઓના શરણે જવા લાગ્યા છે! વહેતી ગંગામાં હાથ ધોવાના ઈરાદે આવા બાબાઓ પણફૂલપ્રૂફ અને ચમત્કારીઉપાયો બતાવી ગરજવાન લોકોને ખંખેરી રહ્યા છે.

યુ.પી.માં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી પરણી જવાના કિસ્સાઓ એટલા વધી ગયા છે કે ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ મુઝફ્ફરનગરમાં હિન્દુ આગેવાનો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ પરિવારોનેબેટી બચાવો, બહુ બચાવોએવું સ્લોગન આપવામાં આવ્યું હતું. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ આર.એસ.એસ.ના કાર્યકરોએ પશ્ચિમ યુ.પી.માં એક અઠવાડિયા લાંબી રેલી કાઢી હતી જેમાં તેમણે હિન્દુ પુરુષો અને સ્ત્રીઓને રાખડી બાંધી તેમને લવ જેહાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું આહ્વાન આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ બાબતમાં હિન્દુ-જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર છે કે લવ જેહાદના વિરોધમાં યુ.પી.ના સવર્ણો અને દલિતો એકસાથે થયા છે. ચર્ચાઓ એવી પણ છે કે અમિત શાહને યુ.પી.નું સુકાન સોંપાયું છે એની પાછળ લવજેહાદને ડામવાનો એજન્ડા પણ છે.

વિવાદોનું કુરુક્ષેત્ર બનેલા સવારા ગામમાં જ બે વર્ષ અગાઉ એક હિન્દુ યુવકે એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલમાં તેઓ તેમના બાળક સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે. એમના પ્રેમલગ્ન બાબતે હિન્દુ કે મુસ્લિમોએ સહેજ પણ દેકારો બોલાવ્યો નહોતો એ ઉલ્લેખનીય છે. જોકે, આવા કિસ્સા જવલ્લે જ બને છે. મોટેભાગે તો મુસ્લિમ યુવાનો જ દુલ્હનિયા લઈ જાય છે.

લવ જેહાદ સત્ય હકીકત હોય કે કાલ્પનિક ભૂતાવળ, પણ એના લીધે ઉત્તરપ્રદેશના સામાજિક જીવનના સૌહાર્દપૂર્ણ તાણાવાણા ખોરવાઈ રહ્યા છે એ ચોક્કસ છે.

લવ જેહાદનો લેટેસ્ટ શિકાર- તારા શાહદેવ

લવ જેહાદ જેવી કોઈ વસ્તુ જ નથીએમ કહેનારા લોકોની બોલતી બંધ કરે એવો એક સનસનીખેજ કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં રહેતી ૨૭ વર્ષીય તારા શાહદેવ નામની યુવતીએ પોતાના પતિને હવાલાતમાં ધકેલાવી દીધો છે. તારાએ પોતાના પતિ પર આરોપ મૂક્યો છે કે તેનો પતિ તેના પર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે બળજબરી કરી રહ્યો છે.

માંડીને વાત કરીએ તો, તારા શાહદેવ એક પ્રોફેશનલ શૂટર છે. તિરંદાજીની સ્પર્ધામાં તે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ૧૪ જુલાઈ, ૨૦૧૩ના રોજ તેના લગ્ન ૩૮ વર્ષીય રંજિત કોહલી સાથે થયા હતા. શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. ૨૦૧૪ના રમઝાન માસમાં એક આમંત્રણ કાર્ડ પર પતિનું નામ રકીબુલ હસન લખાયેલું જોઈ તારાને જાણ થઈ કે તેનો પતિ અસલમાં મુસ્લિમ છે! આ છેતરપિંડી તારાએ નિભાવી લીધી પરંતુ પત્ની સામે પોલ ફૂટી જતાં રકીબુલે પોત પ્રકાશ્યું. તેણે તારા પર ધર્મપરિવર્તન કરી લેવા માટે દબાણ આપવાનું શરૂ કર્યું. તારા ન માની ત્યારે તેની મારપીટ શરૂ થઈ. એક દિવસ તો તેના પર એક ખૂંખાર કૂતરો છોડી મૂકવામાં આવ્યો. છેવટે કંટાળેલી તારાએ પોલીસમાં એફ.આઇ.આર. નોંધાવી.

પોલીસે ગત સપ્તાહે રકીબુલની ધરપકડ કરી. તેના ફ્લેટની જડતીમાં ૧૬ સિમ કાર્ડ, ૧૫ મોબાઇલ ફોન, ૨ કમ્પ્યુટર, ૪ પ્રિન્ટર, ૨ બંદૂક અને કેટલાક સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા! કોર્ટે રકીબુલ અને તેની માતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને પોલીસે બંનેને ૧૪ દિવસના રિમાન્ડ પર લીધાં. શરૂઆતમાં તો રકીબુલે પોતે હિન્દુ હોવાનું રટણ ચાલુ રાખ્યું પણ પછી સ્વીકાર્યું કે ૨૦૦૭માં એક તાંત્રિકના કહેવાથી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. જોકે તેણે લવ જેહાદને નામે તેની પત્ની પર અત્યાચાર કરવાના આરોપ નકાર્યા છે.

રંજિત ઉર્ફ રકીબુલ કોઈ સામાન્ય માણસ નથી. ઝારખંડના બહુ ઊંચા લોકો સાથે તેના કનેક્શન્સ બહાર આવી રહ્યા છે, જેમાં ભૂતપૂર્વ સાંસદ ઇન્દ્ર સિંઘ નામધારી, વેલફેર મિનિસ્ટર હાજી હુસૈન અન્સારી અને એમ.એલ.. સુરેશ પાસવાનના નામ ઉછળ્યા છે. રકીબુલ વિશે મીડિયા સાથે સાફ વાત કરવાથી તેઓ છટકી રહ્યા છે જે સૂચક છે. રકીબુલ પાસેથી મળી આવેલા અમુક સિમ કાર્ડ તો આવા જ મોટા માથાઓને નામે ખરીદવામાં આવ્યા છે. પોલીસ સામે તેણે વિસ્ફોટક કબૂલાત કરી છે કે, રાજકારણીઓ, અમલદારો અને પોલીસ અધિકારીઓને તે કોલગર્લ્સ પૂરી પાડતો હતો. એક અહેવાલ મુજબ તેણે ૩૬ મહાનુભાવોના નામ લીધા છે! આ કબૂલાત બાદ તેના જીવનું જોખમ વધી ગયું છે.

ન્યાય મળવા બાબતે શંકાશીલ તારાએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગ કરી છે. તારાએ એફ.આઇ.આર. લખાવી તેના એક અઠવાડીયા બાદ રકીબુલની ધરપકડ કરવામાં આવી હતી જેથી સંવેદનશીલ સાબિતીઓ સગેવગે કરવા માટે તેને સમય મળી જાય. તારાના જણાવ્યા મુજબ એક આઇ.પી.એસ. ઓફિસરે તેને થોડા દિવસો માટે મીડિયાથી દૂર કોઈ અજાણી જગ્યાએ જતા રહેવાની સલાહ આપી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મળી તારાએ તેમને પોતાની આપવીતી જણાવી ઉમેર્યું હતું કે, રકીબુલનાકોલ ગર્લ રેકેટમાં ફસાયેલી અનેક છોકરીઓ રકીબુલના સગા-સંબંધીઓના ઘરે કેદ છે. સોરેને ગત શુક્રવારે આ કેસની તપાસ સી.બી.આઇ.ને સોંપવા બાબતે સંમતિ દર્શાવી છે.

તારાએ પોલીસ પર લગાવેલા આરોપ ગંભીર છે. શું ખરેખર આ કેસમાં પોલીસની ભૂંડી ભૂમિકા છે? મોદી સરકાર આ કેસમાં કેવું વલણ અખત્યાર કરશે? રંજિત ઉર્ફ રકીબુલે પોતાનું મોં ખોલીને જે ભૂકંપ સર્જ્યો છે એ તેના માટે જીવલેણ સાબિત થશે? કે પછી અનેકવાર બન્યું છે એમ આ કેસમાં પણ ભીનું સંકેલી લેવામાં આવશે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા રસપ્રદ બની રહેશે.

નોંધઃ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.